






























આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.





આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર ની અધ્યક્ષતામાં યોજાયો જેમાં મતદાતા ચેતના અભિયાનના સંયોજક, સહ સંયોજક અને લીગલ ટીમ, જિલ્લા ટીમ, મંડલ, મોરચા, પ્રમુખ મહામંત્રી, જીલ્લા પ્રદેશ હોદ્દેદારો, અને અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યાં જેમાં હાજરી આપી મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.





યુવા ભાજપ મિત્ર મંડળ કેશોદ દ્વારા મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કેશોદ સોની સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાનનું આયોજન કરવામાં જેમાં ૨૫૮-જેટલા રક્તદાતાઓ એ રકતદાન કેમ્પમાં જોડાયા હતા.એ વેળાએ મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી જેમાં હાજરી આપી આયોજકોને બિરદાવ્યા બાદ દર્દીનારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.













આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.






















