આજરોજ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાળા ગામના આગેવાનો સાથે જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાત કરી આગામી તા.૨૭/૨૮. ઓક્ટોબર નાં રોજ પસવાળા ગામે નવનિર્મિત રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઇ જરૂરી માર્ગદર્શન સાથે મદદ કરવા જણાવ્યું હતું
Category: Junagadh
ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું.
આજરોજ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) અને ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું.
સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભાર.
સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભારથોડા દિવસો પહેલા વિસાવદર માં આવારા તત્વો દ્વારા ભય નો માહોલ ઉભો કરી જે હુમલો કરવામાં આવ્યો હતો.તે બાબતે આવા લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી જેનો વહેલી તકે નિર્ણય લઈ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય શ્રી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ આવારાતત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે તે બદલ સોરઠ ની જનતા ખુબ ખુબ આભાર માને છે.
જૂનાગઢ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ ખાતે આયોજન કાર્યક્રમ લઈને માં ખોડલ નું તેડું લઇ જૂનાગઢ ના આંગણે પધારેલ.
આજરોજ જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ ખાતે આયોજન થનારા આગામી કાર્યક્રમ ને લઈને માં ખોડલ નું તેડું લઇ જૂનાગઢ ના આંગણે પધારેલ આ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા દરખાસ્ત ને મંજુર કરવા રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી.
સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર પાસે થી માંગેલી દરખાસ્ત ને મંજુર કરવા માટે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી ભારત સરકાર ના વનમંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવજી ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી .
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી.
આજ તા. ૧૯.૦૯.૨૦૨૧ ના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં બેંકના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સાધારણ મા પોતાનું ઉદ્બોધન કરી ને બેંક ના કાર્યો ને બિરદાવ્યા હતા, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું
આજરોજ કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું એકાર્યક્રમ માં જવાનો અવસર પ્રાપ્ત થયો,આ બ્લડ ડોનેશન કેમ્પ માં સહકારી શેત્રના આગેવાનો એ રક્તદાન કરી સહભાગી બન્યા હતા સાથે જીલ્લા યુવા મોરચા નાં કાર્યકરો એ મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું.જેમાં હાજરી આપી રક્ત દાતાઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત ક્યા હતા.
જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.૧૯.૦૯.૨૦૨૧ નાં રોજ જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ, શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા કોલેજ રોડ સ્થિત ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો.. જેમાં હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી.જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી .જેમાં હાજરી આપી સેમરાળા સાખડાવદર બાદલપુર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી, સાથે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડનાં લોકો સુધી પહોંચે એ હેતુ સર માહિતી આપી, સાથે ભારતીય જનતા પાર્ટીની નીતી રિતી મુજબ બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સહીત મંડલ કક્ષાએ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.
જુનાગઢ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ.
આજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ, જેમાં સહભાગી બની આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ષગાંઠ નિમિતે આગામી કાર્યક્રમોના આયોજન સાથે આવનારા દિવસોમાં કરવાના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.

























































