Posted in Junagadh

આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન

આજરોજ જુનાગઢ તાલુકાના આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન સ્વ હસ્તે કરી સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌ સેવાના લાભાર્થ યોજાયેલ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે હાજરી આપી.

+9

Posted in Junagadh

આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં

આજ તા.૧૫ એપ્રીલના રોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં હાજરી આપી.

+6

Posted in Junagadh

શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

આજરોજ જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે રામજી મંદિરના લાભાર્થે સમસ્ત સોળવદર ગામ આયોજીત ભગવત સપ્તાહના નિમંત્રણને લઈ હાજરી આપી, વ્યાસપીઠ પર બિરાજીત શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

+2

Posted in Junagadh

“BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટ

આજ તા.૮ એપ્રિલના રોજ જૂનાગઢના ડ્રીમસિટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા “BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટના નિમંત્રણ સ્વીકારી, સ્વહસ્તે ઓપનિંગ કરી ખુલ્લું મૂક્યું.

+7

Posted in Junagadh

“વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતે…

આગામી લોકસભા ચૂંટણી પ્રચાર-પ્રસાર અંતર્ગત દેશની ૧૬૦ લોકસભા બેઠકો પર 6 એપ્રિલ થી ૧૫ મે સુઘી યોજાનાર “વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતેથી વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભ પ્રારંભ કરાવ્યો.

+7

Posted in Junagadh

ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.

+6

Posted in Junagadh

અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ

આજરોજ ખડિયા નજીક આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા, આ યુવા મતદાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મતાધિકાર અને સરકારશ્રી દ્વારા યુવા વિદ્યાર્થીઓને મળતા લાભો અંગેની માહિતી અંગે આદાન પ્રદાન કરેલ.

+11

Posted in Junagadh

ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે

જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર દ્વારા ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી જેમની સાથે હાજરી આપી. મુલાકાત દરમિયાન કાર્યાલય ખાતે થતી લોકસેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી એ વેળાના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+5

Posted in Junagadh

ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

“મહાશિવરાત્રી”ના પાવન દિવસે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે ભવનાથ દાદાના દર્શન કરી પૂજન અર્ચ કરી

ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ક્ષમા મહાશિવરાત્રી મેળા માં “મહાશિવરાત્રી”ના પાવન દિવસે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે ભવનાથ દાદાના દર્શન કરી પૂજન અર્ચ કરી ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ મેળવી ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાને અભિષેક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી.