Posted in Junagadh

ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

ગિરનારની પાવન ભૂમિમાં ચાલતા “જીવ અને શિવના” મિલન સમા મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજ સાથે મેળા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી મેળા દરમિયાન આવનારા ભાવિક ભક્તો ને કોઈપણ જાતની અસુવિધા ન થાય તે બાબતે ચર્ચા-વિચારણા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપેલ,એ વેળાએ સંતોના આશીર્વાદ મેળવ્યા.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના મજેવડી જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

આજરોજ જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના બીજા દિવસના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના મજેવડી જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે મજેવડી ગામે રામવાડી ખાતે સીધો સંવાદ કર્યો જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ ની ઉપસ્થતિમાં એમના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિવારણ આવે તેવા પ્રયત્નો કરેલ,જેમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” ના બીજા દિવસે જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ પહેલા વડાલ ટાવર ચોક ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો અને એમના દ્વારા અપાયેલા પ્રશ્નો નું ઝડપ ભેર નિવારણ આવે તેવું આશ્વાસન આપેલ, જે કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે શાકભાજી અને ફળો ની “ઓર્ગેનિક” ખેતીની મુલાકાત લીધી.

આજરોજ પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે શાકભાજી અને ફળો ની “ઓર્ગેનિક” પ્રાકૃતિક રીતે ખેતી કરતા હિતેશભાઈ દોમડીયાની વાડીની મુલાકાત લીધી જેમાં પપૈયા, દાડમ, સેરડી, મોસંબી, સાથે વિવિધ શાકભાજી ના ઉભા પાકનું જાત નીરક્ષણ કર્યું. ખરા અર્થમાં કહીએ તો આપણા બધાના સ્વાસ્થ્ય માટે આવનારા સમયમાં આ પ્રાકૃતિક ખેતી ખૂબજ ઉપયોગી નીવડશે.

Posted in Junagadh

મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

આજરોજ ભોજલરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રી લેઉવા પટેલ સમાજ ભવનાથ એવમ્ શ્રી ખોડલધામ સમિતિ-જૂનાગઢ દ્વારા સંચાલિત મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે હાજર રહી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

Posted in Junagadh

ભાજપના કાર્યકર દ્વારા પોતાના ધંધા નું નવું એકમ શરૂ કરતા શુભકામનાઓ પાઠવી હતી.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના શારદા નગર ખાતે ભાજપના કાર્યકર પ્રકાશભાઈ વાઘેલા દ્વારા ગુરુકૃપા ટ્રેડર્સ નામે પોતાના ધંધા નું નવું એકમ શરૂ કરતા જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું જે વેળાએ હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી.

Posted in Junagadh

કાલસારી જીલ્લા પંચાયત સીટ તેમજ વિસાવદર શહેર “સંવાદ કાર્યક્રમ” કાર્યક્રમમાં હાજરી આપી.

આજરોજ માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રવાસ દરમ્યાન કાર્યકર્તાઓ સાથે સીધા “સંવાદ કાર્યક્રમ” અંતર્ગત કાલસારી જીલ્લા પંચાયત સીટ તેમજ વિસાવદર શહેરના કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળી એમના પ્રશ્નો ના સત્વરે ઉકેલ આવે માટે આશ્વાસન આપેલ જે કાર્યક્રમમાં હાજરી આપી.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી જીલ્લા પંચાયત સીટના બરડીયા ખાતે “સંવાદ કાર્યક્રમ” યોજાયો .

આજ તા.૨૫.ફેબ્રુઆરીના રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી જીલ્લા પંચાયત સીટના બરડીયા ખાતે જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” યોજાયો જેમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેના સત્વરે ઉકેલ માટે ખાત્રી આપી હતી જે કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Visavadar

સરસઈ જીલ્લા પંચાયત સીટના ચાપરડા ગામ ખાતે “સંવાદ સંવાદ” કાર્યક્રમ યોજાયેલ.

આજરોજ સરસઈ જીલ્લા પંચાયત સીટના ચાપરડા ગામ ખાતે જૂનાગઢ જીલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ સંવાદ” કાર્યક્રમ યોજાયેલ જેમાં હાજર રહેલ. પ્રવાસ દરમ્યાન અહીં શ્રી મેલડી માતાજીના મંદિરના સાનિધ્યે દર્શન કરી આશીર્વાદ મેળવેલ. આ સીધા “સંવાદ કાર્યક્રમ” માં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

Posted in Talala

તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે જીલ્લા સહકારી બેંક દ્વારા મેગા ખેડૂત શિબિર કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

આજરોજ તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે જીલ્લા સહકારી બેંક દ્વારા મેગા ખેડૂત શિબિર કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રગતિશીલ ખેડૂતોના સન્માન સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ કરાયું જેમાં હાજરી આપી.