Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી

આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.

Boost again

Posted in Junagadh

નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.

Posted in Junagadh

બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.

પેજ સમિતિનાં પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે ૮૭- વિસાવદર વિધાનસભા બુથ નંબર-૨૦ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.

Posted in Junagadh

આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાને પ્રેરાઈને કેસરિયો ધારણ કર્યો, એ વેળાએ હાજરી આપી કાર્યકર્તાઓને ભાજપમાં પ્રવેશ કરાવ્યો.

Posted in Junagadh

જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી, જેમાં આગામી કાર્યક્રમોના આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

“રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું,

આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે આવેલા દલિત સમાજ માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થનાર “રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું, સાથે સુલભ શૌચાલય માટે રૂ. 3 લાખ ની ફાળવણી કરી એ વેળાએ હાજરી આપી, વિકાસ કાર્યને વેગવંતુ બનાવવામાં સહભાગી થયો.

https://www.facebook.com/plugins/video.php?height=308&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fkirit.patel.bjp%2Fvideos%2F1155257152074742%2F&show_text=false&width=560&t=0

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ ને લઇ ને જિલ્લા આગેવાનો અને અધિકારીઓ સાથે કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી, એ વેળાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી – કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત જુનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.