Posted in Keshod

14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલી

આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધુ ઘરો પર લહેરાશે ત્રિરંગો, 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાનારા આ અભિયાન અંતર્ગત આજરોજ મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો, આગેવાનો અને orbit classes ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં રાષ્ટ્રભાવના સંકલ્પ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્ર ભાવના વ્યકત કરી.

#HarGharTiranga

#AjadiKaAmritMahotsav

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

Posted in Junagadh

સખી દાતાર ના સાનિધ્યે

આજરોજ દાતાર પર્વત પર બિરાજતા સખી દાતાર ના સાનિધ્યે પ્રશિક્ષણ વર્ગ માં આવલા પ્રદેશ સંગઠનના આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો સાથે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો..

જય ગીરનારી…🙏

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે

આજરોજ ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગના વાલી ડો.ભરત બોઘરા, રાજકોટના પ્રભારી શ્રી ધવલભાઈ દવે, મનનભાઈ દાણી સાથે ઊપસ્થિત રહી દેવાધિદેવ ભવનાથ મહાદેવનું પુજન અર્ચન કરી જન સુખાકારી અર્થે પ્રાર્થના કરી.

Posted in Junagadh

ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત

આજરોજ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ ખાતે જામનગર, દેવભુમી દ્વારકા,રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,અને દીવ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ઓનો શરૂ થયેલ પ્રશિક્ષણ વર્ગમાં પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાથે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત લઈ આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

View Post

Posted in Junagadh

જીલ્લા લીગલ સેલની બેઠક

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય. “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા લીગલ સેલની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગેની કામગીરી સાથે વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થીઓ સાથે વિસ્તારક તરીકે મુલાકાત કરી

૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર ગામે બુથ નંબર-૩ ખાતે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થીઓ સાથે વિસ્તારક તરીકે મુલાકાત કરી સરકારશ્રીની ૯ વર્ષની સિદ્ધિની પુસ્તિકાઓનું વિતરણ કરેલ એ વેળાએ લાભાર્થીઓએ પોતાના ખૂબ સારા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

+10

Posted in Junagadh

“જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક

આજરોજ “જનસંપર્ક” થી “જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવ્યા સાથે સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ લક્ષી યોજનાઓ ની માહિતી સભર પુસ્તિકાનુ વિતરણની સાથે 90 90 90 20 24 નંબર પર મિસ કોલ કરાવી આવેલા લિંકમાં માહિતી ભરી સેવા કાર્યમાં સહભાગી થયો.

#9YearsOfSeva

+10

Posted in Gandhinagar

શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.