કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

“ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત આજરોજ ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર – બુથ નંબર – 3 માં “મારું કામ મારી ફરજ અંતર્ગત” ઘરે ઘરે જઈ લોક સંપર્કની સાથે ગામના સિનિયર આગેવાનો સાથે મુલાકાત કરી સરકાર શ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી યુકત પત્રિકાનું વિતરણ કરેલ એ વેળાએ સ્થાનિક લોકોએ દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી ને સમર્થન આપ્યું હતું.





#9YearsOfModiGovernment …. માભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં “૯” વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત ૮૭.વિસાવદર વિધાનસભાના ડુંગરપુર બુથ નંબર-૩ ના પ્રમુખ અલ્પેશ હરિભાઈ પરમારના નિવાસ સ્થાને સૌ કાર્યકર્તા સાથે ભોજન કર્યું.





“જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ” નો નારો જેના બલિદાન થકી પ્રચલિત થયો એમના આંદોલન ને કારણે આજે કાશ્મીર હિન્દુસ્તાન નો અભિન્ન અંગ રહ્યું છે તેવા જનસંઘ ના સ્થાપક શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી એમને શત શત વંદન કર્યા.




“જન સંપર્ક”થી “જન સમર્થન”
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના “૯” વર્ષ પૂર્ણ થવાના અવસરે જુનાગઢ જિલ્લા નાં ૮૭.વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-3 ખાતે ઘરે ઘરે જઈ જન સંપર્ક કરી સ્ટીકર લગાડી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરી, 9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ.





“ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના “૯” વર્ષ પૂર્ણ થવાના અવસરે જુનાગઢ જિલ્લા નાં ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર ગામે બુથ નંબર-3 ખાતે આવેલ શીવ મંદિરે દર્શન કરી “મારું કામ મારી ફરજ” સમજી બુથ સમિતિ અને પેઇજ સમિતિના પ્રમુખો સાથે સંપર્ક કરી કાર્યક્રમની શરુઆત કરી, 9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ, whatsapp ગ્રુપ માં સભ્યો ઉમેરી વોટ્સએપ ગ્રુપ નું કાર્ય પૂર્ણ કરાવેલ.





૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન …
આજરોજ “અલ્પકાલીન વિસ્તારક યોજનાં” અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી વર્ચ્યુલ બેઠક યોજાઇ જે બેઠક અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત 87 વિસાવદર વિધાનસભા ની કાર્યશાળા યોજાઈ જેમાં અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા,જે કાર્ય શાળામાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવી વિસ્તારકોને કિટનું વિતરણ કર્યું.





બિપરજોય ચક્રવાત અંતર્ગત ગુજરાત રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સતત પાંચ દિવસ જુનાગઢ જિલ્લામાં રહીને વહીવટી તંત્રને કાર્યકર્તાઓને સાથે રાખી અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી સતત માર્ગદર્શન આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે આજે તેઓએ ભવનાથ સ્થિત “ભવનાથ મહાદેવ” નું પૂજન અર્ચન કરી ગાંધીનગર જવા પ્રસ્થાન કરેલ.




