Posted in Junagadh

પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો

Posted in Junagadh

જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નોઅવસર પ્રાપ્ત થયો.

હાલ જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે ભાગવતી કથાગંગા પુજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહીછે. ત્યારે આજરોજ આ સોનેરી અવસર દરમ્યાન ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી. શેરનાથબાપુ ,પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો …..જય ગિરનારી. જય ગુરુદત્ત.

Posted in Junagadh

ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ હેઠળનાં જામકા ગામ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે

Posted in Maliya

જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજરોજ તા.૧૬.૭.૨૦૨૧નાં રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે શક્તિ કેન્દ્રની બેઠક મળી હતી,જેમાં માળીયા તાલુકાના આગેવાનો તેમજ શક્તિ કેન્દ્રો નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા તેમજ પેઇજ કમિટી,તેમજ માળીયા તાલુકાના લોકહિતનાં અધૂરા કાર્યો પૂરા કરવા સાથે સરકારશ્રી દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા કરાઇ સાથે માળખાને મજબૂત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ તા.10.07.2021 નાં રોજ ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં હાજરી આપી હતી.જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરાઇ સાથે સંગઠન નાં માળખાને મજબૂત બનાવવાની સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું ,આ બેઠક માં જીલ્લા પંચાયત નાં પ્રમુખ દિનેશભાઈ ખટારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Posted in Junagadh

જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ તા 8.7.2021 નાં રોજ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પીઠીયા સહિત 50 થી વધુ નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.. એ વેળાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી વિકાસ યાત્રામાં ખડીયા ગામ ના 50 થી વધુ નવ યુવાનો જોડાયા હતા.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાળ ભવન” ખાતે જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી.

આજરોજ તા.04.07.2021 નાં રોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *”દીનદયાળ ભવન”* ખાતે જૂનાગઢ જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી..ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનો સહિત ટીમ મેમ્બર્સ ની બેઠક મળી હતી..જેમાં તમામ મોરચાના અધ્યક્ષ દ્વારા સોંપાયેલી કામગીરી અંગે પ્રતિભાવો જણાવવા માં આવ્યા હતા..જે બેઠકમાં હાજરી આપી હતી. અને પાર્ટીના કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું