Posted in Junagadh

જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર અકસ્માતમાં અવસાન થતાં ખાતેદાર ના વારસદારોને રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.

જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર સ્વ.પ્રફુલભાઈ વેલજીભાઇ દોમડીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ.નીતિનભાઈ ગોકળભાઇ ઢોલરીયા અને કેરાળા ગામના ખેડૂત ખાતેદાર સ્વ.રણછોડભાઇ બાબુભાઇ સરવૈયા નું અકસ્માતમાં અવસાન થતાં આજ રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ ની પોલીસી મુજબ આજ રોજ ખેડૂત ખાતેદાર ના વારસદારોને માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કીરીટભાઇ પટેલ તથા ડીરેકટર શ્રી પ્રવિણભાઈ પટોળીયા તથા ડીરેકટર શ્રી ગોપાલભાઈ દેસાઈ ના વરદ હસ્તે રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.

Posted in Junagadh

દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી.

આજ તા. ૨૮.૦૯.૨૦૨૧ ના રોજ દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં સંઘના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત રહી સાધારણ મા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના કાર્યો ને બિરદાવ્યા હતા, જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત.

આજરોજ તા.૨૮.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે એમનું ઉમળકા ભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો,જેમાં જીલ્લા ભાજપની ટીમના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું.

આજરોજ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) અને ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું.

Posted in Junagadh

જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાળા ગામના આગેવાનો સાથે જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાત કરી.

આજરોજ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાળા ગામના આગેવાનો સાથે જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાત કરી આગામી તા.૨૭/૨૮. ઓક્ટોબર નાં રોજ પસવાળા ગામે નવનિર્મિત રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઇ જરૂરી માર્ગદર્શન સાથે મદદ કરવા જણાવ્યું હતું

Posted in Junagadh

સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભાર.

સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભારથોડા દિવસો પહેલા વિસાવદર માં આવારા તત્વો દ્વારા ભય નો માહોલ ઉભો કરી જે હુમલો કરવામાં આવ્યો હતો.તે બાબતે આવા લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી જેનો વહેલી તકે નિર્ણય લઈ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય શ્રી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ આવારાતત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે તે બદલ સોરઠ ની જનતા ખુબ ખુબ આભાર માને છે.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ ખાતે આયોજન કાર્યક્રમ લઈને માં ખોડલ નું તેડું લઇ જૂનાગઢ ના આંગણે પધારેલ.

આજરોજ જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ ખાતે આયોજન થનારા આગામી કાર્યક્રમ ને લઈને માં ખોડલ નું તેડું લઇ જૂનાગઢ ના આંગણે પધારેલ આ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .

Posted in Visavadar

વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે શહેર ના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી.

આજરોજ વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે શહેર ના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપી હતી. બેઠક ની શરૂઆત પંડિત દીનદયાળજીનાં જન્મદિન નિમિતે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બેઠકનો પ્રારંભ કર્યો હતો, બેઠકમાં બહોળી સંખ્યા મા આગેવાન કાર્યકરો એ હાજર રહી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય લીડથી જીતાડવાની ખાતરી આપી હતી.

Posted in Junagadh

સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા દરખાસ્ત ને મંજુર કરવા રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી.

સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર પાસે થી માંગેલી દરખાસ્ત ને મંજુર કરવા માટે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી ભારત સરકાર ના વનમંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવજી ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી .

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.