Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી.

આજ ૨૫-માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી, જેમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં હાજરી આપી.

Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યો ઝડપભેર પુર્ણ કરવાની સાથે આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો ના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં બાર એસસિયેશનના સભ્યો જોડાયા.

આજરોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભેસાણ બાર એસસિયેશનના ના પ્રમુખ સહિત તમામ સભ્યોએ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાયાત્રાને પ્રેરાઈને વિધિવત રીતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા, આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે શુભ પ્રસંગે હાજરી આપી.

આજરોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હરસુખભાઈ કોરાટ ના ઘરે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે શુભ પ્રસંગે હાજરી આપી.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે લેઉઆ પટેલ સેવા સમાજ ભવનના ભૂમિપૂજન માં યોગદાન.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે શ્રી લેઉઆ પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને લેઉઆ પટેલ સેવા સમાજ નવા પીપળીયા દ્વારા સમાજ ભવનના નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન સિલાન્યાસ પ્રસંગે જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નૈમિષ ભાઈ ધડુક સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સાથે ઉપસ્થિત રહી સમાજ નિર્માણ માં યોગદાન આપેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામ ખાતે ટિફિન બેઠક યોજાઈ.

આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામ ખાતે ભેસાણ તાલુકા સંગઠન ના કાર્યકરો અને હોદ્દેદારો જોડે ટિફિન બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી આગામી વિધાનસભા ચૂંટણીના આયોજન ને લઈ સંગઠન ના માળખાને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત ભવન કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આજ તા.૧૯.૦૩.૨૦૨૨ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરી તેમજ રીનોવેશન થઈ રહેલા શેડના કામનું સ્થળ નિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે મુલાકાત લીધી.

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચાલી રહેલ ચાણાની ખરીદીના કેન્દ્ર ખાતે મુલાકાત લીધી, એ વેળાએ યાર્ડ ખાતે પોતાના ચણા લાવનાર ખેડૂતો સાથે મુલાકાત કરી.

Posted in Junagadh

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ.

આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે આંગણવાડી નાના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ,સાથે બાળકો ને પોષણ યુક્ત આહાર સાથે બેસીને જમાડ્યો,જૂનાગઢ જિલ્લામાં કોઈ બાળકો કુપોષિતના રહે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ના કાર્યકર્તાઓ એ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબના જન્મદિન ની ઉજવણી કરી જે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.