Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.

આજરોજ સંત, સુરા અને સાવજની ધરતી પર વિશ્વનેતા દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે એમને આવકારવા જૂનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે પંચવટી બંગલા ખાતે હાજરી આપી કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ ને લઇ ને જિલ્લા આગેવાનો અને અધિકારીઓ સાથે કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી, એ વેળાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી – કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત જુનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

આગામી તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત ” માર્કેટિંગ યાર્ડ, માંડાવડ ” ખાતે વિસાવદર શહેર/તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ફરીથી મારી નિમણૂક થતા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ અને આગેવાનો એ મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે આજે ફરીથી મારી વરણી થતા કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે આજે ફરીથી મારી વરણી થતા જુનાગઢ જિલ્લા પ્રભારી ધવલભાઇ દવે, જુનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી ડો. જય કુમાર ત્રિવેદી સાથે જુનાગઢ મહાનગરના પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા સાથે મહાનગર જુનાગઢ ના મંત્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી એ વેળાએ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સતત બીજીવાર મને જવાબદારી સોંપવા બદલ આભારી છુ.

આજ તા.૧૬-ઓક્ટોબર ના રોજ “જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.” ના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂટણી યોજાઈ. જેમાં મારા પર વિશ્વાસ મૂકી જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સતત બીજીવાર મને જવાબદારી સોંપવા બદલ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના આગેવાનો તેમજ બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ અને ભાજપના શીર્ષ નેતૃત્વ નો ખુબ ખુબ આભારી છુ.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે જુનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના આગેવાનો પૂર્વ ધારાસભ્યો, સિનિયર આગેવાનો, કાર્યકરોની બેઠક મળી જે બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જુનાગઢ જીલ્લા ના સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે હાજરી આપી, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંતર્ગત સુચારુ આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.