લેરીયા ખાતે કોટિલા પરીવાર દ્વારા નેજાધારી રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યોજાયેલ યાત્રામાં જોડાઇ રામજી મંદિર ખાતે શ્રી રામ ભગવાનના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

















આજરોજ વિસાવદર ખાતે લોકો માટે આશીર્વાદ રૂપ સરકાર માન્ય “પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર” નો શુભારંભ કરાવેલ.






આજરોજ વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.






આજરોજ વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે શહેર ના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપી હતી. બેઠક ની શરૂઆત પંડિત દીનદયાળજીનાં જન્મદિન નિમિતે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બેઠકનો પ્રારંભ કર્યો હતો, બેઠકમાં બહોળી સંખ્યા મા આગેવાન કાર્યકરો એ હાજર રહી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય લીડથી જીતાડવાની ખાતરી આપી હતી.









ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે પાંચકરોડ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ માં ઊપસ્થિત રહેવાનો મોકો મળ્યો
આજરોજ ગુજરાતના,રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદરના હનુમાનપરા ખાતે હનુમાન પરા પ્રાથમિક શાળા ના નવ નિર્માણ પામેલ શાળા બિલ્ડીંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઊપસ્થિત રહી લોકાર્પણ કરેલ એ કાર્યક્રમ માં હાજરી આપવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.
આજરોજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વિસ્તાર માં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે મંદિર ખાતે સેવાપૂજા કરતા શ્રી.જીવાભગત ના આમંત્રણને માન આપી આજે રાયડી વડલેશ્વર દાદાના મંદિરે દર્શન કરી વડલેશ્વર મહાદેવને જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…
સોરઠ લેઉવા પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા “જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા નું વિસાવદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ.









જૂનાગઢ જિલ્લા માં જન આશીર્વાદ યાત્રા 19 ઓગષ્ટ આવવાની હોય જેના આયોજન ને લઇ આજરોજ બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ખાતે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા ની બેઠક મળી જેમાં વિસાવદર જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઈ રીબડીયા, જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ રામભાઈ સોજીત્રા, તાલુકા ભાજપ મહામંત્રી પરસોતમભાઈ પદમાણી, રમેશભાઈ જીલ્લા ભાજપ મંત્રી. ચંદુલાલ મકવાણા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી.ઘનશ્યામભાઈ કોટડીયા હાજર રહ્યા હતા. જે બેઠકમાં હાજરી આપી આવનારી યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે પોઇન્ટ ટું પોઇન્ટ જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.






