હાલ જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે ભાગવતી કથાગંગા પુજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહીછે. ત્યારે આજરોજ આ સોનેરી અવસર દરમ્યાન ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી. શેરનાથબાપુ ,પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો …..જય ગિરનારી. જય ગુરુદત્ત.
Category: Junagadh
ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ હેઠળનાં જામકા ગામ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે
ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક નાં બગડુ ગામની મુલાકાત
૩૦ શક્તિકેન્દ્ર માં સંગઠન બેઠક યોજાયેલ
જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આજરોજ તા 8.7.2021 નાં રોજ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પીઠીયા સહિત 50 થી વધુ નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.. એ વેળાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી વિકાસ યાત્રામાં ખડીયા ગામ ના 50 થી વધુ નવ યુવાનો જોડાયા હતા.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાળ ભવન” ખાતે જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી.
આજરોજ તા.04.07.2021 નાં રોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *”દીનદયાળ ભવન”* ખાતે જૂનાગઢ જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી..ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનો સહિત ટીમ મેમ્બર્સ ની બેઠક મળી હતી..જેમાં તમામ મોરચાના અધ્યક્ષ દ્વારા સોંપાયેલી કામગીરી અંગે પ્રતિભાવો જણાવવા માં આવ્યા હતા..જે બેઠકમાં હાજરી આપી હતી. અને પાર્ટીના કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ ની અઘ્યક્ષતા મીટીંગ યોજાઈ હતી.
આજરોજ તા.03.07.2021 ને શનિવારે સવારે 10:00. કલાકે.. જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ ની અઘ્યક્ષતા મીટીંગ યોજાઈ હતી,જેમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમા જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ સહિત જવાબદાર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં તાલુકા પંચાયત ને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી….
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઈ હતી.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક માં ઉપસ્થિત રહેલ. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ જીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવ જી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાળ ભવન” ખાતે વિસાવદર તાલુકાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *”દીનદયાળ ભવન”* ખાતે વિસાવદર તાલુકાના ગોવિંદપરા ગામના *સરપંચશ્રી.રાકેશભાઈ સુખડીયા, ઉપસરપંચ રમેશભાઈ પોપટભાઈ દુધાત માજી સરપંચ સંજયભાઈ માથુકિયા* સહિત આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ









































