આજરોજ ભેસાણ તાલુકા ના ખારચીયા ગામે માથુકિયા પરિવાર દ્વારા આયોજીત મનોરથ અને લોટી ઉત્સવ ના ધાર્મિક કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.





સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે આ અવસરે શ્રી રાઘવજીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર ” માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

























આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.






આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી થયેલ.







આજરોજ ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે શ્રી પ્રવિણભાઇ લાખાણી તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ તેમજ નવનિયુક્ત મંડલ પ્રમુખશ્રીઓ ના સન્માન કાર્યક્રમ મા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ મા સાંસદશ્રી અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ






આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામ બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ







આજરોજ ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વિચરતી અને વિમુક્ત જાતિના અતિ પછાત એવા ગાડલીયા સમાજનાં ૩૫ પરીવારોને ગુજરાત સરકાર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તથા મકાન બાંધકામની સહાય અંતર્ગત ઘરનું ઘર મળેલ છે તે બાબતનો આનંદ છે.





