આજરોજ જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળીયા ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના” *સાત પગલાં ખેડૂતના* કાર્યક્રમ અંતર્ગત ” *કિસાન સન્માન દિવસ* ” કાર્યક્રમ યોજવામા આવેલ..જે કાર્યક્રમ માં હાજરી આપી.સરકારશ્રીની સાત પગલાં ખેડૂતના અંતરગત સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા નો લાભ લીધો.અને કિસાન સૂર્યોદય યોજના અંતરગત ભેસાણ તાલુકાના ખંભાળીયા માંડવા બામણગઢ,ના ખેડૂતોને આજથી દિવસે વીજળી આપવાની શરૂઆત અંગેના કાર્યક્રમ માં હાજર રહેવાનો મોકો મળ્યો.
Author: Kirit Patel
સર્વને અન્ન, સર્વને પોષણ”વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.
સર્વને અન્ન, સર્વને પોષણ” આજે ૩જી ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના ગુજરાતના લાભાર્થીઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના સંવાદ સાથે સરકારી હાઇસ્કુલ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.લાભાર્થીને અનાજની કીટ અર્પણ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના ની માહિતી આપી.
વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપ્યા બાદ વિસાવદર ખાતે કાર્યરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યાલય ખાતે હાજર રહી. જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સુધારા,વિસાવદર નગર પાલીકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા સાથે મુલાકાત કરી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Press Coverage
Press Coverage
ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો,સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો.
આજરોજ ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી, સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, ડીડીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ લીધો હતો.
ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી.
આજરોજ ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી. આ કેમ્પ માં જય અંબે હોસ્પિટલ ચાપરડા અને રાણપુર ના વતની ડો.આકાશ કોરાટ સહિત ૧૮.જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો ઊપસ્થિત રહી દર્દી નારાયણ ની સેવા રૂપી સારવાર કરી હતી. કેમ્પ માં સારવાર સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.
આજરોજ વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો… આ કેમ્પ માં હાજરી આપી ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કેમ્પ ના આયોજક કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે. જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી. જેમાં વિવિધ સેલના સંયોજક અને સહ સંયોજક ની નિમણૂક કરાઈ હતી. જેમાં હાજરી આપી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી ..સાથે આગામી દિવસોમાં વિવિધ સેલના હોદ્દેદારો ની નિમણૂક બાદ બાકી ની કામગીરી અંગે સરકારશ્રી દ્વારા સૂચવેલા કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

































































