આજરોજ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી
Author: Kirit Patel
press coverage
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાનો મોકો મળ્યો.મંડળના કર્મયોગી મહિલા સંચાલક બહેનોના સેવાકીય કાર્યને બિરદાવી માનવ ધર્મ બજાવ્યો
આજરોજ જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે મુખ્ય દાતાશ્રી.માતૃશ્રી શીવુંબા ગોરધનભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ,સુરત ના સહયોગથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ને ૮૮.માં ભવન ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાનો મોકો મળ્યો.જેમાં સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ના કર્મયોગી મહિલા સંચાલક બહેનોના સેવાકીય કાર્યને બિરદાવી માનવ ધર્મ બજાવ્યો
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે આજરોજ જુનાગઢ જીલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.આ તકે જીલ્લા સંગઠનના હોદેદારશ્રીઓ, મંડલ પ્રમુખશ્રી-મહામંત્રીશ્રી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ. ટી),સોશીયલ મીડ્યા,તેમજ વિવિધ સેલ, મોરચાની ટીમના સભ્યો,હોદેદારશ્રીઓ, ઉપસ્થિત રહ્યા.જેમાં હાજરી આપી,નમો એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલેશન સંદર્ભે જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા ટિમની સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ની આઇ.ટી. અને સોશિયલ મીડિયા ટિમ સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શનનો અદભુત લહાવો લીધો.
આજરોજ શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શન કરી દાદાને પૂજા-અર્ચના કરવાનો અદભુત લહાવો લીધો, સાથે મંદિરના મહંત શ્રી હરીગીરીજી મહારાજના આશીર્વાદ લીધા.
જુનાગઢ જિલ્લાના તાલુકા મંડલ સ્તરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંગઠનના માળખાને મજબૂત બનાવવા માણાવદર તાલુકાના બાંટવા ખાતે બેઠકનું આયોજન થયેલ હતું.
આજરોજ જુનાગઢ જિલ્લાના તાલુકા મંડલ સ્તરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંગઠનના માળખાને મજબૂત બનાવવા માણાવદર તાલુકાના બાંટવા ખાતે સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ તેમજ મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ સંગઠનના સિનિયર આગેવાનોની બેઠકનું આયોજન થયેલ જેમાં હાજરી આપી સંગઠનોની રચના બાદ અધૂરી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સાથે પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.બાદમાં આગામી ૧૭.ઓગષ્ટના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજી જન્મદિવસ ની ઉજવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સોરઠ લેઉવા પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા “જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા નું વિસાવદર ખાતે ભવ્ય સન્માન.
સોરઠ લેઉવા પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા “જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા નું વિસાવદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠક યોજી પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ માંગરોળ સર્કીટ હાઉસ ખાતે યોજાયો.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર આજરોજ જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠક યોજી પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ માંગરોળ સર્કીટ હાઉસ ખાતે યોજાયો,જેમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી..
આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી
આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી આપી ગૌ પૂજન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.




















































































