આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવ નિર્માણ પામેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આરંભ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ નાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજરી આપી.













આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવ નિર્માણ પામેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આરંભ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ નાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજરી આપી.













આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી, એ વેળાએ ગીર કેસરી ની પ્રતિકૃતિ આપીને મારું સન્માન કર્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

આજરોજ વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું જેમાં આરોગ્ય લક્ષી તમામ રોગોના નિદાન અને સારવાર કરવામાં આવી જેમાં જરૂરીયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો આ તકે ઉપસ્થીત રહી સરકારશ્રીની આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેનું માર્ગદર્શન સાથે પોષણ લક્ષી કિટનું વિતરણ કરેલ.












જૂનાગઢ તાલુકાના બીલખા ખાતે જન જનની આરોગ્ય સુખાકારી કાજે શરૂ થયેલા અભિયાનને લઈને સરકારી હોસ્પિટલ બિલખા ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા લોકો ને તપાસવામાં આવ્યા સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી તે વેળાએ હાજરી આપી સરકારશ્રીના આ આયોજન ને આગળ ધપાવ્યું હતું.













આજરોજ વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી એમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને સુચન કરેલ સાથે આગમી ૨૪.૨૫ એપ્રિલના રોજ ઝોન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા નાં વિસાવદર વિધાનસભા વિસ્તારના પ્રવાસ અંતર્ગત આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સત્કુંડી યજ્ઞ ધર્મ મહોત્સવના પાવન અવસરે હાજરી આપી ધર્મોત્સવનો લાભ લીધો.













આજ તા.૨૧ એપ્રિલના રોજ જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે સ્વ. ધીરુભાઈ નારણભાઈ કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાજ્ઞાનયજ્ઞમાં ખોડલધામ નાં ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી પરિવારના નિમંત્રણને માન આપી સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે હાજર રહી વક્તા શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ના મુખેથી કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો એ વેળાએ એમને રાધે કૃષ્ણ ની મૂર્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.














આજ ૭ એપ્રીલના રોજ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા ના દર્શન કરવાં નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાયો.






આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે પાર્ટીના ૪૨ માં સ્થાપના દીન નિમિતે ભાજપ નો ધ્વજ લહેરાવી સ્થાપના દિનની ઉજવણી કરી સ્થાપના દિન નિમિત્તે દરેક સાથી કાર્યકર્તાઓને ખુબ ખુબ શુભેચ્છા.
વંદે માતરમ્.
ભારત માતાકી જય.






આજરોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તાર વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે ભગવનબાપા બાપા ડોબરીયાના પરિવારના પિતૃ મોક્ષાર્થે આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” કથામાં પાંચમા દિવસે ડોબરીયા પરિવારના આમંત્રણને માન આપી કથામાં હાજરી આપી કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.





