આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.





આજે 87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન અંતર્ગત ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરી સરકારશ્રીની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તેવા પ્રયાસ કરેલ.





માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ 13-જૂનાગઢ લોકસભા વિસ્તારનું વિશાળ “મહાસંમેલન” આસોપાલવ રિસોર્ટ, વેરાવળ (ગીર સોમનાથ) ખાતે પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું.જેમાં સરકારશ્રીની “9”વર્ષની લોક ઉપયોગી યોજનાઓ,સિદ્ધિઓને યાદ કરી હતી. એ સમેલંનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.





આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ખાતે આગામી તા.૨૫ થી ૨૭, સુધી થનાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્ર્મોના સુચારુ આયોજન અર્થે માહિતગાર કર્યા.





