Posted in Junagadh

મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.

આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના યુવા મોરચાના અધ્યક્ષ મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.

Posted in Junagadh

કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ 13-જૂનાગઢ લોકસભા વિસ્તારનું વિશાળ “મહાસંમેલન” આસોપાલવ રિસોર્ટ, વેરાવળ (ગીર સોમનાથ) ખાતે પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું.જેમાં સરકારશ્રીની “9”વર્ષની લોક ઉપયોગી યોજનાઓ,સિદ્ધિઓને યાદ કરી હતી. એ સમેલંનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

+7

Posted in Junagadh

આજરોજ જુનાગઢ વંથલી હાઇવે રોડ પર ભારતીય જનતા પાર્ટીના ડો.સેલના કનવિનર ડો. નીરવ સાતાસિયા સાહેબ, ડો.ઉદય જલું અને એમની ટીમ દ્વારા નવ નિર્મિત “સમન્વય” હોસ્પિટલ, ધ અલ્ટિમેટ કેરના પ્રારંભે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.

+2

Posted in Junagadh

અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ખાતે આગામી તા.૨૫ થી ૨૭, સુધી થનાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્ર્મોના સુચારુ આયોજન અર્થે માહિતગાર કર્યા.

+5

Posted in Junagadh

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી

આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી કોઈ જાનહાની ન થાય એ અંગે તંત્ર દરેક પ્રકારના પડકારનો સામનો કરવા સજ્જ જે અંગે બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહેલ.

Posted in Junagadh

આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં

આજ તા.૧૫ એપ્રીલના રોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં હાજરી આપી.

+6

Posted in Other City

“લાગણીના વાવેતર” સાતમા શાહી સમુહ લગ્નોત્સવ આયોજનમાં હાજરી આપી.

આજરોજ શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત ખેડૂત નેતા પૂ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યતિ ભવ્ય જાજરમાન “લાગણીના વાવેતર” સાતમા શાહી સમુહ લગ્નોત્સવ અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડીયા દ્વારા કરાયેલા આયોજનમાં હાજરી આપી.

Posted in Junagadh

ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.

+6

Posted in Junagadh

ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે

જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર દ્વારા ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી જેમની સાથે હાજરી આપી. મુલાકાત દરમિયાન કાર્યાલય ખાતે થતી લોકસેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી એ વેળાના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+5

Posted in Junagadh

ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.