Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો

जलम् एव जीवनम्॥

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને લાઈવ નિહાળેલ.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ થી આ પહેલમાં મોટા પાયે લોકોને જોડીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની દિશામાં આ પહેલ ખૂબ મહત્ત્વની સાબિત થશે.

આ અવસરે, ભૂગર્ભ જળની માપણી, મેપિંગ અને વ્યવસ્થાપન માટેના કેન્દ્ર સરકારના NAQUIM કાર્યક્રમ અંતર્ગત વિવિધ પહેલની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.

#CatchTheRain

Posted in Talala

તાલાલા ગીર ખાતે શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

આજરોજ તાલાલા ગીર ખાતે સમસ્ત શિંગાળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.