Posted in Keshod

14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલી

આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધુ ઘરો પર લહેરાશે ત્રિરંગો, 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાનારા આ અભિયાન અંતર્ગત આજરોજ મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો, આગેવાનો અને orbit classes ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં રાષ્ટ્રભાવના સંકલ્પ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્ર ભાવના વ્યકત કરી.

#HarGharTiranga

#AjadiKaAmritMahotsav