Posted in Junagadh

“બિપરજોય” ચક્રવાતને પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત

જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાતને પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત વેળાએ પધારેલ રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે સેડનું સ્થળ નિરીક્ષણ કરી યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા દ્વારા લાવવામાં આવેલ જણસી ને વાવાઝોડાને કારણે નુકસાન ન થાય એ અંગે તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા.

Posted in Junagadh

જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)એ જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર પર કોલ કરી સરપંચો, કર્મચારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સૂચનો કર્યા હતા, એ વેળાએ આપત્તિ સમયે ફૂડ પેકેટ તૈયાર કરી સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓને બિરદાવી હતી.

+4

Posted in Junagadh

સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી,

આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી, વાવાઝોડા દરમ્યાન દૂધના પુરવઠાનો પૂરતો સ્ટોક રાખવા અંગે સૂચનો કરી, ડેરી ખાતે ચાલતા પ્લાન્ટ નિહાળી તૈયાર થતી પ્રોડક્ટ અંગે જાણકારી મેળવી પ્રભાવીત થયા હતા.

+5

Posted in Maliya

માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાતકરી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સંલગ્ન ડિપાર્ટમેન્ટ ને જરૂરી સૂચનો કર્યા હતા,

Posted in Mangarol

NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ “બંદર” ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” અને “દીવા દાંડી” ખાતે ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો સાથે હાજર રહી સ્થળ મુલાકાત કરી દરિયા કિનારે તેનાદ કરેલ NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

+9

Boost this post to reach up to 2011 more people if you spend ₹577.

Boost post

Posted in Junagadh

બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

સંભવિત “બિપરજોય” ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રીની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ગીરવર ગિરનારની ગોદમાં બિરાજિત બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

+6

Posted in Uncategorized

વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માધવપુર ઘેડ “બીચ” ખાતે પરિસ્થિતીનો તાગ મેળવી, ભગવાન શ્રી માધવરાયજીના દર્શન કરી આવનારા વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

+6

Posted in Junagadh

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી

આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી કોઈ જાનહાની ન થાય એ અંગે તંત્ર દરેક પ્રકારના પડકારનો સામનો કરવા સજ્જ જે અંગે બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહેલ.