Posted in Mangarol

માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ આગેવાનો સાથે બેઠક કરી.

બિપરજોય વાવાઝોડાના પગલે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ પાંચાલ ( વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ અને પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી અને માછીમાર એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી સંભવીત ચક્રવાતથી થનાર નુકસાનીને નિવારવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

+2

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો સ્થળે

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ બંદર ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો, ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો તેમજ માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ ન બને અંગેના આગોતરાં આયોજન કરીને સલામતી અંગેના ભાગરૂપે તમામ બોટોને સલામત સ્થળે ખસેડી જરૂરિયાતવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી જરુરી માર્ગદર્શન આપ્યું.

+10

Posted in Chorvad

જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી

બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ સ્થિત બંદર પ્રાથમિક શાળા ખાતે પ્રભાવિત વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપી, દધેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન કરીને ગુજરાત પર વાવાઝોડા રૂપી આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી.

+11

Posted in Maliya

માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર

જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાત પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી સ્થાનીક આગેવાનો, પાર્ટીનાં કાર્યકરો, સરપંચો,અને આગેવાનો સાથે જરૂરી પૂછપરછ કરી આવનારી પરીસ્થીતી ને પ્હોંચી વળવા માર્ગદર્શન આપેલ.

+3