Posted in Mangarol

“બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં આત્રોલી આપત્તિ વ્યવસ્થાપન (સેલ્ટર હોમ) ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા આશ્રિતો સાથે મુલાકાત કરી આપત્તિ વ્યવસ્થાપન અંગે કર્મચારીઓને જરૂરી સૂચના આપી.

+2

Posted in Mangarol

“આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં રહીજ ખાતે “આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી, સાથે સેલ્ટર હોમમાં રહેલા આશ્રિતોને ફુડ પેકેટનું વિતરણ કર્યું,

+3

Posted in Junagadh

શ્રી અમીતભાઈ શાહ સાહેબે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા

અરબ સાગરમાં સર્જાયેલા “બિપરજોય” ચક્રવાતને પહોંચીવળવા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જીલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ,સદસ્યો સાથે હાજર રહી કેશોદ તાલુકા સેવા સદન ખાતે માર્ગદર્શન મેળવ્યું.

+5

Posted in Keshod

બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી બાલગામ ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી પરિસ્થિતી નો તાગ મેળવ્યો

+2

Posted in Junagadh

વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્ય અને મેયર જોડે વાવાઝોડા સંભવિત સ્થળની પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

+2