આજરોજ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૮૭ – વિસાવદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ડુંગરપુર અને ખડીયા જીલ્લા પંચાયત સીટના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કરેલ.





આજરોજ માળીયા હાટીના ખાતે શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન” યોજાયેલ. જેમાં અમિતભાઈ ને સાફો પહેરાવી તેમનું અને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સૌ લોકો નું શાબ્દિક સ્વાગત કરેલ.












વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.














Share
આજ તા ૧૮ નવેમ્બરના રોજ ભેસાણ ખાતે ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી અને ગુજરાતનું ઘરેણું એવા લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબે ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયા નું ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવ્યો, જેમાં હાજરી આપી.

























આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.







આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.











