Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે જુનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના આગેવાનો પૂર્વ ધારાસભ્યો, સિનિયર આગેવાનો, કાર્યકરોની બેઠક મળી જે બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જુનાગઢ જીલ્લા ના સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે હાજરી આપી, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંતર્ગત સુચારુ આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક શ્રી પાનદેવ લેઉઆ પટેલ સમાજ કેશોદ ખાતે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,કેશોદ વિધાનસભાના સીટનાં ઇન્ચાર્જ વિજય કોરાટની ઉપસ્થિતીમાં યોજાઇ, જેમાં સીનીયર આગેવાનો, અપેક્ષીત કાર્યકર્તાઓ તેમજ પાર્ટીનાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી,આગામી ગુજરાત ગૌરવ યાત્રાના રૂટના આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠનને વધુ મજબુત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક પટેલ સમાજ માળીયા હાટીના ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ઉપસ્થિતીમાં મળી,જેમાં પાર્ટીના અપેક્ષીત કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં હાજરી આપી આગામી આવનારી “ગુજરાત ગૌરવ યાત્રા” ના આયોજન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમનાં સુચારુ આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠાત્મક કાર્ય અંગે જરૂરી સુચનો કરેલ.