આજ તા.7મી મે નારોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




































