Posted in Keshod

પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પ્રદર્શની સાથે સચોટ માર્ગદર્શન હેતુ ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, એ અવસરે હાજરી આપી.કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા.

Posted in Maliya

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો જેમાં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, સાથે ૩૦૦ જેટલા લાભાર્થીઓને વસ્ત્રદાન કરાયું હતું જેમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Posted in Maliya

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ઉજ્વલા યોજના o.૨,વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાં લાભાર્થી ને યોજના અંતર્ગત હુકમો પરિપત્રો સાથે ઉજ્વલા યોજના o.૨ અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજેશ ચુડાસમા,જીલ્લા પ્રભારી ધવલભાઈ દવેજી સાથે હાજર રહેવાનો મોકો મળ્યો.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી.

જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે આવેલી કન્યા શાળા મા ધોરણ ૮ ની મંજૂરી અર્થેની રજૂઆત જિલ્લા કાર્યાલય *”પંડિત દિન દયાલ ભવન”* ખાતે કન્યા શાળાના પ્રિન્સિપાલ અને વડાલ ના સરપંચ અરવિંદભાઈ ઘરડેશીયા દ્વારા મળતા, અમો દ્વારા સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી કન્યાઓના આશીર્વાદ મેળવ્યા…

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ.

આજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ, જેમાં સહભાગી બની આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ષગાંઠ નિમિતે આગામી કાર્યક્રમોના આયોજન સાથે આવનારા દિવસોમાં કરવાના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે પાંચકરોડ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ માં ઊપસ્થિત રહેવાનો મોકો મળ્યો

Posted in Visavadar

વિસાવદરના પ્રાથમિક શાળાના નવ નિર્માણ પામેલ શાળા બિલ્ડીંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં.

આજરોજ ગુજરાતના,રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદરના હનુમાનપરા ખાતે હનુમાન પરા પ્રાથમિક શાળા ના નવ નિર્માણ પામેલ શાળા બિલ્ડીંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઊપસ્થિત રહી લોકાર્પણ કરેલ એ કાર્યક્રમ માં હાજરી આપવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.

Posted in Visavadar

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…

આજરોજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વિસ્તાર માં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે મંદિર ખાતે સેવાપૂજા કરતા શ્રી.જીવાભગત ના આમંત્રણને માન આપી આજે રાયડી વડલેશ્વર દાદાના મંદિરે દર્શન કરી વડલેશ્વર મહાદેવને જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…