જૂનાગઢ જિલ્લા માં જન આશીર્વાદ યાત્રા 19 ઓગષ્ટ આવવાની હોય જેના આયોજન ને લઇ આજરોજ બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ખાતે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા ની બેઠક મળી જેમાં વિસાવદર જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઈ રીબડીયા, જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ રામભાઈ સોજીત્રા, તાલુકા ભાજપ મહામંત્રી પરસોતમભાઈ પદમાણી, રમેશભાઈ જીલ્લા ભાજપ મંત્રી. ચંદુલાલ મકવાણા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી.ઘનશ્યામભાઈ કોટડીયા હાજર રહ્યા હતા. જે બેઠકમાં હાજરી આપી આવનારી યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે પોઇન્ટ ટું પોઇન્ટ જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.






