જૂનાગઢ ખાતે આવનાર *જન આશીર્વાદ યાત્રા* -૨૦૨૧ અંગે બેઠક મળી આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નવા વિસ્તરણ કરાયેલ કેબિનેટ મંડલ માં સમાવિષ્ટ ૪૩.નવા મંત્રીશ્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ, ૧૫ ઓગસ્ટથી ૨૧ ઓગષ્ટ ત્રણ દિવસ ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન કરવામાં આવેલ હોય જેને લઇને જૂનાગઢ ખાતે આગામી ૧૯/૨૦. ઓગસ્ટના રોજ *જન આશીર્વાદ યાત્રા જૂનાગઢ* પહોંચવાની હોય જેને લઇને આ યાત્રાના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમ અંગે જિલ્લા કાર્યાલય *દિનદયાલ ભવન* ખાતે મળેલ બેઠકમાં હાજરી આપી.યાત્રાના સ્વાગતથી લઇ તમામ કાર્યક્રમ અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જીલ્લા,તાલુકાના હોદ્દેદારો, તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા










