આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કિશાન કલ્યાણ સન્માન કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી ખેડૂત ભાઈઓને સહાય કરવામાં આવેલ . પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જયંતી નિમિત્તે “સુશાસન દિવસ” ની ઉજવણીના ભાગરૂપે મા.વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી “પીએમ કિસાન યોજના” અંતર્ગત 9 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. 18 હજાર કરોડની સન્માન નિધિ હસ્તાંતરણ કરવામાં આવી. સાથે જ માન.મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા “સાત પગલાં ખેડૂત કલ્યાણ” ના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓનાં લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણના જૂનાગઢ મુકામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.






